રવિવાર, 17 જુલાઈ, 2011

પોસ્ટ ઓફીસની મંથલી ઈન્કમ સ્કીમઃસલામતી સાથેની નિશ્ચીત આવક

આજનાં અનિશ્ચીત આર્થીક મહોલમાં જે લોકો ને પોતાનાં એક સાથેનાં રોકાણો પર નિશ્ચીત મુદત સુધી નિયમીત અને ખાત્રી પુર્વકની આવક ઉભી કરવી હોય તેનાં માટે ભારતીય પોસ્ટ ની મંથલી ઈન્કમ સ્કીમ એક ઉપયોગી રોકાણ સાધન બની શકે છે.ખાસ કરીને નિવ્રુત,વયો વૃધ્ધ તેમજ વિધવા કે ત્યક્તા સ્ત્રીઓ વગેરે પોતાને મળેલી એક સામટી રકમનું આ સ્કીમમાં રોકાણ કરીને સંપુર્ણ સલામતી સાથે દર મહીને નિશ્ચીત આવક મેળવી શકે છે.

ભારતીય પોસ્ટ વિભાગ દ્વારાં નક્કી થયેલ પોસ્ટ ઓફીસ પરથી આ સ્કીમમાં રોકાણ કરી શકાય છે.આ મંથલી સ્કીમની મુદત ૬ વર્ષની છે.આ સ્કીમમાં જમા કરાવેલી રકમ પર ૬ વર્ષ સુધી વાર્ષીક ૮ ટકા નાં ધોરણે નિશ્ચીત વળતર આપવામાં આવે છે.જે દર મહીને ચુકવવામાં આવે છે.આ સ્કીમમાં સીંગલ તેમજ જોઈન્ટ એકાઉન્ટ એમ બંને પ્રકારનાં એકાઉન્ટ ખોલવાની સગવડતા આપેલ છે.આ સ્કીમ માં ઓછા માં ઓછું ૧૫૦૦ રુપીયાનું રોકાણ કરી શકાય છે તેમજ સીંગલ એકાઉન્ટમાં વધુમાં વધુ ૪.૫ લાખ અને જોઈન્ટ એકાઉન્ટમાં વધુમાં વધુ ૯ લાખનું રોકાણ કરી શકાય છે.કોઈપણ વ્યક્તિ ઉપર મુજબની રોકાણ મર્યાદામાં રહીને પોતાનાં નામે એક કરતાં વધારે એકાઉન્ટ ખોલાવી શકે છે.

છ વર્ષની પાકતી મુદત પહેલાં જ આ સ્કીમ બંધ કરાવી બધાં રુપીયા ઉપાડી લેવાં હોયતો એક વર્ષ પછી ઉપાડી શકાય છે પરંતુ એક થી ત્રણ વર્ષ સુધી ૨ ટકા અને ત્રણ વર્ષ પછી ૧ ટકા લેખે પેનલ્ટી લગાડવામાં આવશે.

આ મંથલી ઈન્કમ સ્કીમમાં વાર્ષીક ૮ ટકા લેખે વળતર ચુકવવામાં આવે છે તેમજ પાકતી મુદતે ૫ ટકા નું વધારાનું બોનસ પણ ચુકવવામાં આવશે.પાકતી મુદત પછી પણ જો મુડી જમા રાખવી હોય તો ૨ વર્ષ સુધી જમા રાખી શકાય છે જેનાં પર બચત ખાતા જેટલું વ્યાજ આપવામાં આવશે.આ સ્કીમમાં TDS કાપવામાં આવતો નથી અને આ સ્કીમમાં થયેલી આવક પર લાગુ પડ્તાં ઈન્કમ ટેક્સનાં સ્લેબ મુજબ ટેક્સ ચુકવવાનો રહેશે.