ગુરુવાર, 31 જાન્યુઆરી, 2013

જીંદગીની સેક્ન્ડ ઈનીંગ માટેનું નાંણાંકીય આયોજન

નીવૄતિ પછી આપણી જીંદગીની સેકન્ડ ઈનીંગ ચાલુ થાય છે.આખી જીંદગીની રુપીયા કમાવવા પાછળની ભાગદોડ બાદ જીંદગીને નિરાંતે- મનભરીને માણવાનો સમય એટલે નીવૄતિ.યાત્રાએ જવાનું,પૌત્ર-પૌત્રી સાથે રમવાનું,વળી,ક્યારેક કોઈ મનગમતું જુનું પીકચર જોઈ લેવાનું,ટાઉનહોલમાં સંગીતનો કાર્યક્રમ માણવાનો,ઝુલે હિંચકતા-હિંચકતા પત્ની સાથે ભુતકાળનાં સંભારણાઓ વાગોળવા,દાન-ધર્મ-સેવાનાં કાર્યો કરવાનાં.આમ,જોઈએ તો જીંદગીને સાચી રીતે જાણવાનો અને માણવાનો સમય એટલે જ નીવૄતિ.પરંતુ આ બધાની સાથે સાથે નીવૃત થયાં પછી રોકાણોનું યોગ્ય નાણાંકીય આયોજન કરવું પણ અત્યંત જરુરી છે.કેમે કે સેકન્ડ ઈનીંગ પણ લાંબી હોય છે અને આ સેકન્ડ ઈનીંગ પણ શાનદાર અને મોભાદાર રહે તેમજ જીવન પર્યંત કયારેય નાણાંકીય મુંઝવણ ન અનુભવવી પડે તે માટે નીવૃતિ પછી નાં રોકાણોનું યોગ્ય નાણાંકીય આયોજન કરવું ખુબ જરુરી છે.નીવૃતિ પછીનું નાણાંકીય આયોજન કેવું હોવું જોઈએ તે માટે થોડી અગત્યની ટીપ્સ અંહી આપવાનો ઍક નમ્ર પ્રયાસ છે.


# આપણાં કુલ રોકાણોમાંથી ૫૦ થી ૬૦ ટકા સુધીની રકમનું રોકાણ ફક્ત સલામત રોકાણ સાધનોમાં જ કરવું જોઈએ.જેમ કે,બેંક એફ ડી,પોસ્ટલ સ્કીમ,ડેટ ફંડ વગેરે.

# આપણાં કુલ રોકાણૉમાંથી ૨૦ ટકા રકમનું રોકાણ એવાં સાધનોમાં કરવું જોઈએ કે જ્યારે પણ જરુર પડે ત્યારે તાત્કાલીક અને આસાનીથી તેને ઉપાડી શકીએ.

# ૬ થી ૧૨ મહીનાનાં આપણાં કુલ માસીક ખર્ચ જેટલી રકમ સેવિંગ્સ બેંક એકાઉન્ટમાં રીઝર્વ ફંડ તરીકે રાખવી જોઈએ જેથી આકસ્મિક સંજોગોમાં કોઈ પાસે હાથ લાંબો કરવાની ફરજ ના પડે.

# ૨૦ થી ૩૦ ટકા જેટલી રકમનું રોકાણ શેર બજાર અને મ્યુચલ ફંડમાં કરી શકાય જેથી રોકાણૉ પર વધારે વળતર મેળવી,વધતા ફુગાવા સામે રક્ષણ મેળવી શકાય.

# કોઈ એક જ રોકાણ સાધનમાં બધું રોકાણ કરવાને બદલે જુદાં જુદાં પ્રકારનાં રોકાણ સાધનોમાં થોડું થોડું રોકાણ કરવું જોઈએ જેથી જોખમને ઓછું કરી શકાય.

# બચતનાં થોડાં હિસ્સાનું રોકાણ સોનું તેમજ જમીન જેવી પ્રત્યક્ષ મિલ્કતમાં પણ કરવું જોઈએ.

# જે વિમા પોલીસી ચાલુ હોય તેનાં પ્રીમીયમ નિયમીત રીતે ભરતાં રહેવાં હિતાવહ છે.

# પ્રીમીયમ ઉંચું હોય તો પણ પતિ અને પત્નિ બંનેનો મેડીકલ ઈન્શ્યોરન્સ લઈ લેવો જોઈએ.

# બેંક ખાતાઓની પાસબુકમાં નિયમિત રીતે એન્ટ્રીકરાવવી જેથી તમારાં ફંડ વિશેની તાજી જાણકારી રાખી શકાય.

# બેંક ખાતા તેમજ અન્ય તમામ રોકાણોમાં નોમીનેશનની વિગતો યોગ્ય રીતે ભરેલી છે કે નહીં તે ચકાસી લેવું જોઈએ.


# આપણાં તમામ રોકાણો વિશે આપણાં પરીવારનાં તમામ જવાબદાર સભ્યોને જાણકારી આપતી રહેવી જોઈએ જેથી આપણાં મ્રુત્યુ  પછી તેઓ અંધારામાં ના રહે.

# આપણાં રોકાણોને લગતાં તમામ ડોક્યુમેંન્ટસ જેમ કે,વિમા પોલીસી,એફ ડી ની રશીદ,મિલ્કતનાં દસ્તાવેજ વગેરે એક સલામત જગ્યાએ સાચવીને રાખવા જોઈએ તેમજ તેની જાણ પરીવારનાં જવાબદાર સભ્યોને પણ કરવી જોઈએ.

# તમામ રોકાણો અને મિલ્કતોની સુયોગ્ય વહેંચણી થાય અને પરીવારમાં ભવિષ્યમાં કોઈપણ વિવાદ ના થાય તે માટે યોગ્ય રીતે વસીયતનામું તૈયાર કરી લેવું જોઈએ.

બોનસ લાઈનઃ ઉજાલે અપની યાદો કે હમારે સાથ રહેતે હૈ
                ના જાને કીસ ગલી મેં જીંદગી કી શામ હો જાયે