શુક્રવાર, 17 જૂન, 2011

જીવન વીમા (લાઇફ ઈન્શ્યુરન્સ) નું આપણાં જીવનમાં કેટલું મહત્વ ?

આપણાં કોઈ સગાં વ્હાલાં,મીત્ર કે કોઈ ઓળખીતા નો આપણ ને ફોન આવે કે મેં જીવન વીમા નું કામ ચાલું કર્યું છે અને મારે એ બાબતે તમને મળવું છે તો આપણો પહેલો જવાબ શું હશે???કાં તો આપણે તેને ચોખ્ખી નાં પાડી દેશું અથવા તો કહેશું કે અરે મેં તો હજુ ગયા મહીને જ એક પોલીસી લઈ લીધી કાં કહેશું કે હમણાં પૈસાની સગવડ્તા નથી વગેરે વગેરે,,,,,ટુંકમાં આપણે તેને જુદાં જુદાં કોઈપણ પ્રકારનાં બહાનાં બતાવી ને ટાળવાનો પ્રયત્ન કરશું.સાવ દેશી ભાષામાં કહું તો આપણે તેને 'ઠેકાડી'એ ,બરાબર ને??આપણે જીવન વીમો લેવાં માટે ક્યારેય આસાની થી તૈયાર થતાં નથી અને જો આપણે એકાદ બે પોલીસી લીધી પણ હશે તો એ પણ કાં તો સંબંધ રાખવા ખાતર પરાણે અથવા તો ટેક્ષ બચાવવા માટે લીધી હશે.બહુ ઓછાં લોકોએ વીમાનો સાચો ઉપયોગ સમજીને વીમાની પોલીસી લીધી હશે કારણકે પહેલી નજર થી જોઈએ તો હકીકતમાં આપણને દેખીતી રીતે વીમાની કોઈ જરુરીયાત દેખાતી નથી કારણકે વીમો ના લેવાંથી આપણી જીંદગીમાં કોઈ સીધૉ મોટો ફરક આપણને દેખાતો નથી.વાસ્તવમાં આપણને ખબર જ નથી કે અપણે વીમો લેવો જોઈએ કે નહીં ?



આમ પણ એક હ્યુમન સાઈકોલોજી છે કે જ્યાં સુધી આપણને કોઈ વસ્તુ કે સેવાની પુરે પુરી જરુરીયાત નાં જણાંય ત્યાં સુધી આપણે ક્યારેય કોઈ પણ
ખરીદી કરતાં નથી એટ્લે કે આપણે બહુ આસાની થી ખીસ્સામાં હાથ નાંખતાં નથી.જીવનવીમો એક એવી વસ્તુ છે કે પહેલી નજરે આપણ ને તેની જરુરીયાત લાગતી નથી.આપણાં કપડાં ફાટી ગયાં હોય તો આપણને નવાં લેવાંની જરુરીયાત જણાંય એટ્લે આપણે નવાં કપડાં લઈએ છીએ,એવી રીતે આપણી દરેક ખરીદી આપણી જરુરીયાત ને આધીન હોય છે.
હવે જીવન વીમા માં તો આપણને આવી કોઈ તાત્કાલીક જરુરીયાત દેખાતી નથી.કયારેય એવું બન્યું કે આપણને માથું દુઃખતું હોય અને ડોક્ટરે આપણને કહ્યું હોય કે એક કામ કરો જીવન વીમાની એક પોલીસી લઈ લો એટ્લે માથું દુઃખતું બંધ ! કહેવાનો મતલબ કે જીવન વીમો લેવાંથી કે ના લેવાથી આપણી જીદગીને તાત્કાલીક રીતે કોઈ ફાયદો કે નુક્સાન થતું નથી એટલાં માટે જ્યારે કોઈ વીમાની વાત કરે એટ્લે આપણો પહેલો જવાબ નાં હોય છે.
તો હવે આપણે જાણીએ કે ખરે ખર આપણે જીવન વીમાની જરુર છે કે નહીં ? 

જીવન વીમો આ શબ્દ જ આપણી જીંદગી સાથે જોડાયેલો છે તો આપણે જીવન વીમાની જરુરીયાત છે કે નહીં તે આપણાં બધાંની જીંદગી સાથે જોડાંયેલાં બે કડવાં સત્યો કે બે કડવી વસ્તવીક્તાઓ દ્વારાં સમજીએ.


આપણાં જીવનનાં બે કડવાં સત્યો છેઃ મૌત અને નિવૃતી.

આ બંને કડવાં સત્યો આપણાં બધાંનાં જીવનને લગભગ સમાન રીતે લાગુ પડે છે.

મૌત



જેનો જન્મ છે તેનું મૃત્યું નીશ્ચીત છે. આપણે બધાંએ એક દિવસ મરવાનું જ છે.મૄત્યુ એ એક સનાતન સત્ય છે.મૄત્યુ નિશ્ચીત છે પરંતુ તેનો સમય અનિશ્ચીત છે.કૉણ ક્યારે મરવાનું છે તે કોઇને ખબર નથી.બધાંને ખબર છે કે આપણે એક દિવસ મરવાનું જ છે પરંતુ મરવું કોઇને નથી.હકીકત માં આપણે મૄત્યુથી એટલાં બધાં ડરીએ છીએ કે આપણે પણ એક દિવસ આ પૄથ્વી ઉપર નહીં હોઇએ તે વાસ્તવીક્તા હોવા છતાં આપણે જાણે કોઈ દિવસ મરવાનાં જ નથી એવાં વહેમમાં અને અભીમાનમાં જીવતાં હોઇએ છીએ.સામાન્ય રીતે ક્યારેય આપણે આપણાં મરવાનો વિચાર પણ નથી કરતાં.ક્યારેય કોઇને પોતાની સ્મશાન યાત્રાનું સપનું આવ્યું છે ? બીજાં જુદાં જુદાં ઘણાં પ્રકારનાં સપનાંઓ આપણને આવતાં હોય છે પરંતું આપણાં મૌતનું સપનું આપણને ક્યારેય આવતું નથી.તો હવે સવાલ એ છે કે આપણે ક્યારેય આપણાં મૄત્યુનો પણ વિચાર નથી કરતાં તો પછી આપણાં મૄત્યુ પછી આપણાં પરીવાર ઉપર તેની શૂં અસર થાય એ તો બહુ દુરની વાત થઈ ગઈ.એટલું લાંબુ તો કોણ વિચારે ? 



આપણાં મૄત્યુ પછી આપણાં પરીવાર ઉપર તેની બે પ્રકારની અસર થાય છે.એક છે ઇમોશનલ લોસ અને બીજો છે ફાયનાન્સિયલ લોસ.આપણે મરી જાઇએ તો આપણો પરીવાર દુઃખી દુઃખી થઈ જાય.આપણાં વગર જીવન કેમ વીતાવવું એ પણ એક સવાલ થઈ પડે.આ છે ઇમોશનલ લોસ,તેનો ઇલાજ એક જ છે સમય,જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ તે લોકો સત્ય સ્વીકારીને જીવન જીવવા લાગે છે અને સમયનાં વહેણમાં દુઃખ વિસરાતું જાય છે.
આપણાં મૄત્યુની આપણાં પરીવાર ઉપર બીજી અસર છે ફાયનાન્સિયલ લોસ - આર્થીક નુકસાન ,આપણે જીવતાં હોઇએ,આપણે કમાતાં હોઇએ તે કમાણીમાંથી આપણાં પરીવારનું ગુજરાન ચાલતું હોય છે.આપણું મૄત્યુ થાય એટલે આપણી આવક પણ બંધ થઈ જાય છે પરંતુ ખર્ચાઓ તો ચાલુ જ હોય છે.આવાં સંજોગોમાં એક પરીવાર આવક વગર કેટલો સમય જીવન પસાર કરી શકે.આપણાં મૄત્યુ પછી સગાં-વ્હાલાં,મીત્રો બધાં લોકો સંત્વનાં કે આશ્વાસનનાં બે શબ્દો આપવા આવશે પણ કોઇ રુપીયાનું બંડલ લઈને આપણાં પરીવારને દેવા નહીં આવે.આવાં સમયે આપણાં પરીવારને જીંદગી જીવવા માટે સૌથી પહેલી જરુર રુપીયાની પડશે.પૈસા હશે તો આપણાં પરીવારને કોઈ પાસે ભીખ માંગવા જવું નહીં પડે.આપણાં મૄત્યુ પછી આપણાં પરીવારને એક નિશ્ચીત રકમ આપવાની ખાતરી લાઈફ ઈન્શ્યુરન્શ આપે છે.આ રકમથી પરીવારને જીંદગી જીવવાનો ટેકો મળી જાય છે.લાઇફ ઇન્શ્યુરન્સ આપણાં પરીવારને એક આર્થિક સુરક્ષા કવચ પુરું પાડે છે.જેમ બને તેમ મોટી રકમનો વીમો લઈ આપાણાં પરીવારને સંપુર્ણ આર્થૉક સુરક્ષા આપવી તે આપણાં સૌ નું કર્તવ્ય છે.આપણાં પરીવાર પ્રત્યેની આપણી ફરજ છે અને આપણી જવાબદારી પણ છે. 

નિવૄતીઃ


નિવૄતી પણ આપણાં જીવનનું એક કડવું સત્ય છે.જો આપણે વહેલાં ના મરીએ તો લાંબુ જીવવાનાં છીએ,તો હવે લાંબુ જીવીએ તો પણ ઉપાધી.જ્યાં સુધી આપાણે કામ કરતાં હોઇએ ત્યાં સુધી આપણી એક નિશ્ચીત આવક ચાલુ રહે છે પણ જેવાં નિવૄત થઈએ એટલે આવક બંધ થઈ જાય પરંતુ ખર્ચાઓ તો ચાલુ જ રહેવાનાં છે.અને હવેનાં સંતાનો આખી જીંદગી માં બાપ ને સારી રીતે જ સાચવે તેની કોઈ ખાતરી રહી નથી એ પણ એક સનાતન સત્ય છે જે આપણે સ્વીકારીને જ ચાલવું જોઇએ.પણ જો આપણી નિવૄતી પછી પણ,કામ કર્યા વગર એક નિશ્ચીત રકમ નો ચેક દર મહીને આવતો હોય તો એ ઉંમરે આપણે કોઇ પાસે ભીખ માંગવી ના પડે કે કોઈ આગળ ઓશીયાળાપણું ન કરવું પડે.પરંતુ તેનાં માટે આપણે જ્યારથી કમાતા થઈએ ત્યારથી જ આપણે નીયમીત બચત કરવી જોઈએ.તો લાઇફ ઇન્શ્યુરન્શ એ આપણિ નિવૄતી નાં નાંણાંકીય આયોજન માટે પણ મદદ કરે છે.લાઈફ ઈન્શ્યુરન્શમાં નીયમીત બચત કરવાથી પાકતી મુદતે એક નીશ્ચીત મોટી રકમ આપણને મળે છે જે રકમનું પેન્શન યોજનાંમાં રોકાણ કરી ને જીવીએ ત્યાં સુધી એક નીયમીત આવક મેળવી શકાય છે.


આમ,લાઈફ ઇન્શ્યુરન્શ એ જો આપણે વહેલાં મૄત્યુ પામીએ તો આપણાં પરીવારને ખાતરીપુર્વક ની નાંણાંકીય સુરક્ષા પુરી પાડે છે અને જો આપણે લાંબુ જીવીએ તો પણ આપણી નિવૄતી પછીનાં નાંણાંકીય આયોજનમાં માદદ કરે છે.લાઇફ ઇન્શ્યુરન્શ એ આપણાં માટે એક વરદાન રુપ છે અને આજનાં સમયમાં લાઇફ ઈન્શ્યુરન્શ એ રોકાણ માટેનું એક ઉતમ સાધન છે.