બુધવાર, 17 જૂન, 2009

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સાવધાનીપુર્વક કરવામાં જ સમજદારી છે.

આજકાલ પ્લાસ્ટીક મનીનું ચલણ ખુબ જ વધતું જતું જોવા મળે છે.દરેક લોકોનાં ખીસ્સામાં ઓછા માં ઓછા બે ત્રણ જુદી જુદી કંપનીઓનાં ક્રેડિટ કાર્ડ તેમજ ડેબીટ કાર્ડ જોવાં મળે છે અને યુવાનોમાં તો ક્રેડિટ કાર્ડ રાખવાની રીતસરની એક ફેશન થઈ ગઈ છે.ક્રેડિટ કાર્ડનો ઉપયોગ જો પુરેપુરી સમજદારી અને સાવધાનીપુર્વક કરવામાં આવે તો તે ખુબ જ ઉપયોગી સાબીત થઈ શકે પરંતુ જો તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં ના આવે તો તે ખુબજ જોખમી સાબીત થઈ શકે છે.ક્રેડિટ કાર્ડનાં સમજદારીપુર્વકનાં ઉપયોગ માટે નીચેનાં અમુક મુદ્દાઓ વાચકોને ખુબ જ ઉપયોગી થશે.

#મીનીમમ એમાઉન્ટ ડ્યુ ચુકવવાને બદલે ફુલ આઉટસ્ટેન્ડીંગ બેલેન્સની જ ચુકવણી કરો
ક્રેડિટ કાર્ડ દ્વારાં પેમેન્ટ કર્યા બાદ તમારી બીલીંગ સાઈકલ મુજબ અમુક દિવસો પછી તમને તમારાં મોબાઈલ પર મેસેજ આવશે.દા.ત. તમે જો રુ.૪૦૦૦ ની ખરીદી કરી હોય તો એવો મેસેજ આવશે કે તમારું આઉટસ્ટેન્ડીંગ બેલેન્સ રુ.૪૦૦૦ છે પરંતુ જો તમારે પુરે પુરાં રુપીયા ભરવા ન હોય તો ફક્ત ૫૦૦રુ મીનીમમ ડ્યુ એમાઉન્ટ તરીકે ભરી દઈને તમારી આઉટસ્ટેન્ડીંગ બેલેન્સ કેરી ફોરવર્ડ કરી શકો છો.તો આવાં સમયે મીનીમમ ડ્યુ એમાઉન્ટ ભરવાને બદલે ફુલ આઉટસ્ટેન્ડીંગ બેલેન્સ ચુકવી દેવી વધારે હીતાવહ છે.કારણકે બાકી રહેતાં રુપીયા પર ક્રેડિટ કાર્ડ કંપની વાર્ષીક ૨૪ ટકા થી ૪૨ ટકા સુધીનું વ્યાજ વસુલ કરે છે.એટલે આમ જોઈએ તો ક્રેડિટ કાર્ડ કંપનીની આજ સાચી કમાણી છે.તેમજ જો મીનીમમ ડ્યુ એમાઉન્ટ રકમ જ ભરવામાં આવી હોય તો ત્યાર પછી ની દરેક ખરીદીની રકમ પર પણ તે જ દિવસથી વ્યાજ લાગવાનું ચાલુ થઈ જાય છે.આવું ભારેખમ વ્યાજ ભરવા કરતાં તો ક્રેડિટ કાર્ડની આઉટસ્ટેન્ડીંગ બેલેન્સની પુરે પુરી ચુકવણી પર્સનલ લોન લઈને કરી દેવી વધારે હીતાવહ છે કારણ કે પર્સનલ લોન ફક્ત ૧૨ થી ૧૮ ટકા નાં વાર્ષીક વ્યાજનાં દરે મળે છે.
#બેલેન્સ ટ્રાન્સફર ના કરાવવું
બેલેન્સ ટ્રાન્સફર એટલે એક ક્રેડિટ કાર્ડની બાકીની રકમની ચુકવણી બીજાં ક્રેડિટ કાર્ડ દ્વારા કરવી.આમ કરવાથી દેણું ચુકતે નથી થતું પરંતુ દેશી ભાષામાં કહીએ તો લેણદાર બદલાય છે.બાકી રકમ પરનું વ્યાજતો એટલું જ ચુકવવું પડે છે.આથી બેલેન્સ ટ્રાન્સફર કરવાને બદલે ક્રેડિટ કાર્ડની બાકી રકમની તાત્કાલીક ચુકવણી કરી દેવી સારી.
#કેશ ઉપાડ ના કરવો
ક્રેડિટ કાર્ડ દ્વારાં ATM માંથી અમુક રોકડ રકમ ઉપાડવાની સવલત મળે છે.બને ત્યાં સુધી આવો કેશ ઉપાડ ના કરવો કારણ કે કેશ ઉપાડ પર તે જ દિવસથી માસીક ૪ થી ૬ ટકા જેટલું ઉંચુ વ્યાજ ચાલુ થઈ જાય છે.
#બાકી નાણાંની ચુકવણી સમયસર કરી દેવી.
ક્રેડિટ કાર્ડ વપરાશકારોએ આ નીયમને સોનેરી અક્ષ્રરે કોતરી લેવાની જરુર છે.ક્રેડિટ કાર્ડની બીલીંગ સાઈકલ મુજબ બાકી નાણાં છેલ્લી તારીખનાં બે દિવસ પહેલાં જ ચુકવી દેવાંથી કોઈપણ પ્રકારની ફી કે વ્યાજ ભરવામાંથી મુક્તિ મળે છે અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તો જ ખરા અર્થમાં સાર્થક થયો ગણાશે.
#'લાઈફ ટાઈમ ફ્રી' કાર્ડ જ લેવું
ક્રેડિટ કાર્ડ કંપનીઓ વાર્ષીક ફી લેતી હોય છે.અમુક કંપનીઓ પહેલાં વર્ષની ફી માફી આપે છે પરંતુ બીજાં વર્ષથી તગડી ફી વસુલ કરે છે.તેનાં બદલે 'લાઈફ ટાઈમ ફ્રી' કાર્ડ જ લેવૂ વધારે હીતાવહ છે.કેમ કે ઘણી વખત પછીનાં વર્ષોમાં ખુબજ ઉંચી ફી વસુલ કરવામાં આવતી હોય છે.તેનાં બદલે જો આજીવન ચાર્જ ફ્રી કાર્ડ હોય તો પછીથી આ પ્રકારનો કોઈ ચાર્જ કંપની વસુલ ના કરી શકે.
#'પછેડી હોય તેટલી જ સોડ તાણવી'
આપણી જુની કહેવત છે કે 'પછેડી હોય તેટલી જ સોડ તાણવી' એટલે કે આપણી જેટલી ત્રેવડ હોય તેટલો જ ખર્ચ કરવો જોઈએ.આ કહેવત ક્રેડિટ કાર્ડ બાબતે બીલકુલ બંધ બેસતી છે.વાસ્તવિકતામાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ખુબ જ ગણતરી પુર્વક કરવો જોઈએ.એટલે કે આપણી જેટલી આવક હોય તે મુજબ જ પહેલેથી દર મહીનાનું બજેટ તૈયાર કરીને તે જ પ્રમાણમાં ખર્ચાઓ કરવા જોઈએ.ક્રેડિટ કાર્ડમાં પૈસા પહેલાં આપવા પડતાં નથી તેથી લોકો આવકનાં પ્રમાણમાં વધારે ખર્ચા કરી બેસે છે અને પછી બીન જરુરી વ્યાજ ભરી ક્રેડિટ કાર્ડ કંપનીઓને નફો કરાવતાં હોય છે.આથી જો શાંતીપુર્વક,કોઈ ટેન્શન વગર જીવન જીવવું હોય તો બને ત્યાં સુધી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ટાળવો.