બુધવાર, 7 ઑક્ટોબર, 2009

આપણાં રોકાણોનો 'પીરામીડ' કેવો હોવો જોઈએ?

આપણાં રોકાણોનો 'પીરામીડ' કેવો હોવો જોઈએ?
'પીરામીડ'વિશે તો આપણે સૌ જાણીએ છીએ.ઈજીપ્તની ધરતી પર સદીઓથી અડીખમ,અડગ ઉભેલાં પીરામીડ એ આદર્શ સ્થાપત્યનો ઉતમ નમુનો છે.સદીઓથી ઊભેલાં પીરામીડો એ કેટ કેટલાંએ તોફાનો,ધરતીકંપ,હોનારતો,યુધ્ધો વગેરે જોયા હશે પરંતુ તે બધાંની વચ્ચે પણ પીરામીડ અડગ અને અડીખમ આજે પણ ઉભાં છે.તેનું કારણ એ છે કે પીરામીડ નું સ્ટ્ર્કચર એ રીતે તૈયાર કરવામાં આવેલું છે કે તેને દુનીયાનાં કોઈપણ તોફાનો હચમચાવી શકે જ નહીં.આપણાં રોકાણૉનાં સંદર્ભમાં જોઈએ તો આપણાં રોકાણોનો પીરામીડ પણ આવો જ હોય તો કેવું સારું?એટ્લે કે આપણાં રોકાણોનું સ્ટ્ર્કચર પણ એવું હોવું જોઈએ કે ગમે તેટલાં આર્થીક તોફાનો આવે જેમ કે વૈશ્વિક મંદી,આર્થીક કૌભાંડૉ,ડિમેટ સ્કેમ,હર્ષદ મહેતા સ્કેમ,કેતન પારેખ સ્કેમ કે સત્યમ સ્કેમ જેવાં કોઈપણ તોફાનો આવે તો પણ આપણાં રોકાણોનો પીરામીડ પણ ઈજીપ્ત નાં પીરામીડ ની જેમ જ અડીખમ અને અડગ ઉભો રહે.આ માટે વિશ્વનાં નિષ્ણાંત રોકાણ સલાહકારોએ રોકાણ માટેનાં એક આદર્શ પીરામીડ ની ભલામણ કરેલી છે જો આપણે પણ આપણાં રોકાણો આ મુજબ કરીએ તો આપણાં જીવનમાં આપણે તેમજ આપણાં પરીવારે ક્યારેય નાણાંકીય કટોકટીનો સામનો કરવો ના પડે.
રોકાણો નો 'પીરામીડ'
પહેલું રોકાણઃ ટર્મ ઈન્શ્યુરન્સ પોલીસી
આપણે કમાતાં થઈએ અને કુલ ઘરખર્ચ બાદ કરતાં જો આપણે થોડી ઘણી બચત કરી શકીએ તે મુજબની જો આપણી આવક હોય તો સૌ પ્રથમ કોઈપણ લાઈફ ઈન્શ્યુરન્સ કંપનીનો એક ટર્મ પ્લાન પોતાનાં જીવન પર લેવો જોઈએ.ટર્મ પ્લાન પ્રમાણમાં ખુબજ સસ્તાં હોય છે તેથી જેમ બને તેમ મોટી રકમનો વિમો લેવામાં આવે તો વધું સારું.આમ ટર્મ પ્લાન એ આપણાં રોકાણો નાં પીરામીડ નાં ચણતરની દિશા માં પહેલું પાયારુપી પગથીંયું છે.ટર્મ પ્લાન લેવાંથી સૌ પ્રથમ આપણે આપણાં પરીવારને સંપુર્ણ સુરક્ષા આપી દઈએ છીએ જેથી ભવીષ્યમાં આપણે ન પણ હોઈએ તો પણ આપણો પરીવાર નાણાંકીય કટૉ કટી માં સપડાતો નથી.
બીજું રોકાણઃ હોલ લાઈફ ઈન્શ્યુરન્સ પોલીસી
ટર્મ પ્લાનમાં રોકાણ કર્યાં પછી જો આપણી આવકમાં વધારો થાય અને કુલ ઘરખર્ચ તેમજ ટર્મ પ્લાનનું પ્રીમીયમ બાદ કરતાં પણ જો રકમ બચાવી શકાય તો બીજું રોકાણ આપણે કોઈપણ લાઈફ ઈન્શ્યુરન્સ કંપનીનાં હોલ લાઈફ પ્લાનમાં કરવું જોઈએ.હોલ લાઈફ પ્લાનમાં રોકાણ કરવાથી તમે તમારા કુટુંબ માટે જીંદગીભર ની નાણાંકીય સુરક્ષા તો મેળવો જ છો સાથે સાથે તમારાં માટે પણ તમે પાછળની જીંદગી ખુબ સારી રીતે વિતાવી શકો તે માટેનું નિશ્ચિત આયોજન અત્યારથી કરી લ્યો છો.
ત્રીજું રોકાણઃબેંક FD,સોનું,PPF,નાની બચત વગેરે
ઉપરનાં બે તબક્કા પસાર કર્યા પછી જો આપણી આવકમાં વધારો થયો હોય અને આપણે કુલ ઘરખર્ચ બાદ કરતાં પણ જો વધારે રકમ બચતી હોય તો હવે બેંક FD,સોનું,PPF,નાની બચત વગેરે જેવાં ઓછાં વળતર આપનારાં પણ સંપુર્ણ સલામત એવાં નાણાંકીય રોકાણનાં સાધનોમાં બચત કરી શકાય છે.પરંતુ જેમ આપણે વિમાનું પ્રીમીયમ નીયમીત રીતે ભરીએ છીએ તેમ જ આવાં સાધનોમાં પણ નીયમીત રીતે રોકાણ કરતું રહેવું જોઈએ.
ચોથું રોકાણઃમ્યુચલ ફંડ(શેરબજાર આધારીત)
ઉપર મુજબનું નીયમીત રોકાણોનું આયોજન કર્યાં પછી પણ જો હજુ રકમ બચતી હોય તો શેરબજાર આધારીત મ્યુચલ ફંડમાં રોકાણ કરી થોંડું જોખમ લઈ શકાય.સીધું જ શેરમાં રોકાણ કરવાં કરતાં મ્યુચલ ફંડ દ્વારાં શેર માં રોકાણ કરવું વધારે હિતાવહ છે કારણ કે મ્યુચલ ફંડ કંપની નાં ફંડ મેનેજર્ર્સ જુદી જુદી કંપનીઓનાં શેર્ર્સ વિશે રાત દિવસ અભ્યાસ કરતાં હોય છે તેઓ તેનાં નિષ્ણાંત હોય છે તેથી આપણે કોઈની ટિપ્સમાં ભરમાઈન્ર કે છાપાંમાં વાંચીને શેર ખરીદવા કરતાં મ્યુચલ ફંડ દ્વારાં શેરમાં રોકાણ કરવું નાનાં રોકાણકારો માટે વધારે હિતાવહ છે તેમજ રોકાણો સામે વધારે ઉંચું વળતર મળવાની પણ સંભાવનાં છે પરંતુ આ રોકાણ જો લાંબાગાળા માટેનું હોય તો જ તેમાંથી મોટાં વળતરની અપેક્ષા રાખી શકાય.
પાંચમું રોકાણઃશેર (ઈક્વીટી)
ઉપર મુજબનાં રોકાણનાં તબક્કા પાર કર્યાં પછી તમે શેરબજારમાં સીધું રોકાણ કરી શકો છો અને વધારે જોખમ લઈ મોટાં વળતરની અપેક્ષા રાખી શકાય છે.આ તબક્કે શેર બજારમાં રોકાણ કરવાથી તમને શેર બજારનાં ઉતાર ચઢાવ કે જોખમો ની બહુ ચિંતા નહીં રહે કારણકે તમે હવે રોકાણનાં એવાં તબક્કે પહોંચી ગયા છો કે તમે તેમજ તમારો પરીવાર સંપુર્ણ નાણાંકીય સુરક્ષા ધરાવતો હશે.તેથી આ તબક્કે તમે લાંબાગાળા માટે શેર માં રોકાંણ કરી ખુબ જ મોટું વળતર પણ મેળવી શકો છો.કોઈપણ કંપનીનાં શેર લેતાં પહેલાં તે કંપની વિશે ખુબ ઉંડો અભ્યાસ કરવો બહુ જરુરી છે ત્યાર બાદ શેર માં રોકાણ કરવું જોઈએ અને તે પણ લાંબાગાળા માટૅનું જ રોકાણ હોવું જોઈએ કારણકે ટુંકાગાળા માટે શેરની લે-વેંચ કરવી એ જુગારીઓનું કામ છે રોકાણકારો નું નહીં.
છઠું રોકાણઃજમીન,આર્ટ,કોમોડીટી વગેરે
હજુ તમારી આવક વધતી જ જાય છે અને ઉપર મુજબ નાં તમામ રોકાણ સાધનો માં મોટી રકમનું નિયમીત રોકાણ કર્યાં પછી પણ જો તમારી પાસે વધારે રુપીયા બચતાં હોય તો તમે જમીન,આર્ટ,કોમોડીટી વગેરે જેવાં ખુબ જ જોખમી પરંતુ સાથે સાથે ખુબ જ મોટો નફો પણ રળી આપવાની સંભાવાનાં ધરાવતાં આવાં સાધનો માં રોકાણ કરી શકો છો.

જો આપણે જીવનમાં શીસ્તબધ્ધ રીતે ઉપર મુજબ તબક્કા વાર રોકાણ કરીએ તો આપણો રોકાણોનો પીરામીડ પણ ઈજીપ્ત નાં પીરામીડ જેવો મજબુત અને અડીખમ બની રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.---- હેપ્પી ઈન્વેસ્ટીંગ.